Friday, October 3, 2014

તેથી હવે હું લખું.

કવિ મન મારું,
કહે હવે શું રચું,
તોયે હું લખું.

જ્યાં નથી શિક્ષણ,
ત્યાં નથી સમજણ,
તેથી હવે હું લખું.

જ્યાં નથી સદ્વિચાર,
ત્યાં નથી સદાચાર,
તેથી હવે હું લખું.

જ્યાં નથી સ્વછતા,
ત્યાં નથી પ્રભુતા,
તેથી હવે હું લખું.

જ્યાં નથી સત્ય,
ત્યાં નથી તથ્ય,
તેથી હવે હું લખું.

જ્યાં નથી સંસ્કાર,
ત્યાં કેવળ અહંકાર,
તેથી હવે હું લખું.

જ્યાં નથી ભક્તિ,
ત્યાં નથી શક્તિ,
તેથી હવે હું લખું.

જ્યાં નથી બ્રહ્મ,
ત્યાં છે કેવળ ભ્રમ,
તેથી હવે હું લખું.

No comments: