જીવનની એકલતા દિલને કોરી ખાય,
જ્યારે ગળે લાગણીનો ડૂમો ભરાય,
ત્યારે પ્રિયતમનો વિરહ વર્તાય.
આંખો એમની યાદથી ઝળઝળાય,
ચહેરો આંસુનાં વરસાદથી ભીંજાય,
ને મનને એમના દર્શનની ઇચ્છા થાય.
એમનું આંચલ કઇ રિતે વિસરાય,
હર એક પળ સદીની જેમ કપાય,
ને લાગે જાણે મોતથી રાહત થાય.
-- નિર્મલ પાઠક "સત્વ".
No comments:
Post a Comment